કેન્દ્ર સરકારે રસીકરણ મામલે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે કોરોના રસીની કિંમત નક્કી કરી છે. 150 રૂપિયાનામાં કોરોના રસી કિંમત નક્કી કરાઈ છે. વહીવટી 100 રૂપિયા અલગથી ચાર્જ ચૂકવવાનો રહેશે, જ્યારે બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયામાં એક વેકસીન ડોઝ આપવામાં આવશે.
કોરોનાના કેસ સતત વધી રહ્યા છે
ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 460 નવા કેસ નોંધાયા છે. 17 દિવસ બાદ એક્ટિવ કેસનો આંક પણ હવે 2 હજારને પાર થઇ ગયો છે. હાલમાં 2 હજાર 136 એક્ટિવ કેસ છે. જ્યારે 38 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ-વડોદરા એમ બંને જિલ્લામાં કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં ઉથલો માર્યો કોરોનાએ
છ મનપાની ચૂંટણીમાં મતદાન થયા બાદ કોરોના વાઈરસે ફરીથી ઉથલો માર્યો છે. રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે..આથી વિજય રૂપાણીના નિવાસસ્થાને શુક્રવારે મોડી રાત્રે યોજાયેલી કોર ગ્રૃપની બેઠકમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 21મી ફેબ્રુઆરીએ પૂર્ણ થતી ચારેય મહાનગરોમાં કરફ્યૂના અમલનો નિર્ણય 1લી માર્ચથી 15મી માર્ચ સુધી યથાવત રાખવામાં આવ્યો છે.