સ્ટાર ક્રિકેટર અને સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને IPL-2023માં IPL કેપ મળી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ માટે તેને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો હતો. તે 2021 થી આ લીગનો ભાગ હતો, પરંતુ અત્યાર સુધી તેને ડેબ્યૂ કરવાની તક મળી નથી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2023) ની 16મી સિઝનમાં રવિવારે સચિન તેંડુલકરના પુત્ર અર્જુન માટે મોટા સમાચાર આવ્યા છે. અર્જુનને આઈપીએલની કેપ મળી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ માટે તેને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો હતો. તે 2021 થી આ લીગનો ભાગ હતો, પરંતુ અત્યાર સુધી તેને ડેબ્યૂ કરવાની તક મળી નથી.
મુંબઈ ઈન્ડિયન્સે ફરી આત્મવિશ્વાસ બતાવ્યો
અર્જુન તેંડુલકરને 2021ની IPL ઓક્શનમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખમાં ખરીદ્યો હતો. ત્યારબાદ તેને 2022ની હરાજીમાં 30 લાખમાં વેચવામાં આવ્યો હતો. વર્તમાન સિઝનમાં પણ તેને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કે, રોહિત શર્માની કપ્તાનીવાળી આ ટીમે તેને કોઈપણ સિઝનમાં પ્લેઈંગ-11માં સામેલ કર્યો ન હતો.
ડોમેસ્ટિક ક્રિકેટમાં અત્યાર સુધીના આંકડા
23 વર્ષીય અર્જુન તેંડુલકરે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 7 ફર્સ્ટ ક્લાસ, 7 લિસ્ટ A અને 9 T20 મેચ રમી છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ગોવા માટે સદી પણ ફટકારી છે. અર્જુને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 12, લિસ્ટ-Aમાં 8 અને T20માં કુલ 12 વિકેટ ઝડપી છે. આ સાથે જ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 223 રન, લિસ્ટ-Aમાં 25 અને T20માં 20 રન બનાવ્યા છે.