ગુજરાતના મુંબઈથી ગાંધીનગર જઈ રહેલી વંદે ભારત ટ્રેન સાથે ગુરુવારે અકસ્માત સર્જાયો હતો. વટવા અને મણિનગર સ્ટેશન વચ્ચે ભેંસોના ટોળા સાથે ટ્રેન અથડાઈ હતી. જેના કારણે એન્જિનને પણ નુકસાન થયું હતું.
ગુજરાતના મુંબઈથી ગાંધીનગર જઈ રહેલી વંદે ભારત ટ્રેન સાથે ગુરુવારે અકસ્માત સર્જાયો હતો. વટવા અને મણિનગર સ્ટેશન વચ્ચે ભેંસોના ટોળા સાથે ટ્રેન અથડાઈ હતી. અકસ્માત બાદ કેટલીક ભેંસોના મોત થયા હતા અને ટ્રેનના એન્જિનનો કેટલોક ભાગ તૂટી ગયો હતો. પશ્ચિમ રેલ્વેના વરિષ્ઠ પીઆરઓ જેકે જયંતે જણાવ્યું હતું કે આ દુર્ઘટના સવારે 11.15 વાગ્યે બની હતી.