surat: ગ્રીષ્મા હત્યા કેસ જેવો જ બનાવ વધુ એક તરફી પ્રેમમાં વધુ એક મોત – જાણો વધુ વિગરવાર

surat: ગ્રીષ્મા હત્યા કેસ જેવો જ બનાવ વધુ એક તરફી પ્રેમમાં વધુ એક મોત – જાણો વધુ વિગરવાર

શાળાએથી બાળકનું અપહરણ કર્યા બાદ ઠંડા કલેજે હત્યા કરી વતન ભાગવાની ફિરાકમાં રહેલા આરોપીને surat રેલવે સ્ટેશન ખાતેથી પોલીસે ઝડપી પાડયો હતો

શહેરના સચિન વિસ્તારમાં બાળકની માતાના એક તરફી પ્રેમમાં પડેલા પાડોશી વિધર્મી દ્વારા સગીર વયના કિશોરની હત્યા કરી નાંખી

હતી.શાળાએથી બાળકનું અપહરણ કર્યા બાદ ઠંડા કલેજે હત્યા કરી વતન ભાગવાની ફિરાકમાં હતો આરોપી તેવામાં જ સુરત રેલવે સ્ટેશન ખાતેથી પોલીસે ઝડપી પાડયો હતો. આરોપી વિધર્મી હતો અને સગીર વયનાં બાળકની માતાના પ્રેમમાં હતો. પરંતુ બાળકની માતાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડી દેતા આરોપીએ બાળકની હત્યા કરી નાંખી હતી.

સુરતના સચિન વિસ્તારમાં 11 વર્ષીય સગીર વયના કિશોરની હત્યા ને લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.પાડોશમાં જ રહેતા વિધર્મીના રૂમમાંથી સગીર વયના કિશોરની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેને લઇ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. વિધર્મી યુવક ના રૂમ માંથી બાળકની લાશ મળી આવતા પોલીસને પણ અનેક શંકા-કુશંકા ગઈ હતી. ઉપરાંત વિધર્મી યુવક ગાયબ રહેતા પોલીસે તાત્કાલીક અલગ અલગ ટીમો બનાવી વિધર્મીની શોધખોળ શરૂ કરી હતી

બાળકને જાનથી મારી નાખવાની અગાઉ પણ આ વિધર્મી યુવક ધમકીઓ આપી ચુક્યો હતો. આ દરમિયાન બાળકના માતા-પિતાની પૂછપરછ દરમિયાન પોલીસને ચોંકાવનારી બાબત જાણવા મળી હતી.પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મૃતક બાળકનાં બાજુમાં જ ભાડાના મકાનમાં સોરાબુદ્દીન નામનો યુવક રહેતો હતો. જે યુવક મૃતક બાળકનાં ઘરે જ મહિને 2 હજાર રૂપિયા આપી જમતો હતો.આ દરમિયાન સોરાબુદ્દીન બાળકની માતા પર પોતાની જોડે ભાગી જવા માટે દબાણ પણ કરતો હતો. પરંતુ બાળકની માતા તેનાં તાબે થઈ નહોતી. પોતાની સાથે નહીં આવે તો તેણીના બાળકને જાનથી મારી નાખવાની અગાઉ વિધર્મીદ્વારા ધમકી પણ આપી હતી.

જે તે સમયે આ મામલે બાળકની માતાએ આ વાત કોઈને જણાવી નહોતી. જેથી પોલીસની શંકા સોરાબુદ્દીન પર પ્રબળ બની હતી. દરમિયાન સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી વિધર્મી પોતાના વતન ભાગે તે પહેલા જ પોલીસે દબોચી પાડ્યો હતો. કિશોરનું અપહરણ કરીને વિધર્મીએ હત્યા કર્યાની કબૂલાત તેણે સચિન પોલીસ સમક્ષ કરી હતી. પૂછપરછ કરાતા 11 વર્ષનાં સગીરની હત્યા તેણે જ કરી હોવાની કબૂલાત સોરાબુદ્દીને સ્વિકારી હતી.

કિશોરનું શાળાએથી અપહરણ કરી તેનાં રૂમ પર લઈ ગયો હતો.જે બાદ બોથડ પદાર્થ વડે કિશોરની હત્યા કરી વતન જવા નીકળી ગયો હતો. આરોપી બાળકની માતાના એક તરફી પ્રેમમાં પાગલ હતો.બાળકની માતા તાબે ન થતાં તેણે હત્યાનો પ્લાન બનાવી દીધો હતો.જ્યાં માસૂમ બાળકની ઠંડા કલેજે હત્યા કરી ભાગવાની ફિરાકમાં હતો.જો કે પોલીસે તે પહેલાં જ દબોચી લઈ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *