India vs New Zealand: ન્યુઝીલેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી પ્લેઈંગ 11માં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ ખેલાડી ટી20 સીરીઝમાં પણ ટીમનો ભાગ હતો. India vs New Zealand 2nd ODI: ટીમ ઈન્ડિયા હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચેના પ્રવાસની શરૂઆત 3 T20 મેચોની શ્રેણીથી થઈ હતી, જ્યારે હવે ODI શ્રેણી રમાઈ રહી છે. ODI શ્રેણીની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડે 7 વિકેટે જીતી હતી અને બીજી મેચ હેમિલ્ટનમાં રમાઈ રહી છે. પરંતુ આ ટૂરમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી બેન્ચ પર બેઠો જોવા મળ્યો છે. આ ખેલાડી એક વખત પણ પ્લેઈંગ 11માં સામેલ થઈ શક્યો નથી.
આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં સ્થાન નથી મળી રહ્યું
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટી-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન હાર્દિક પંડ્યાએ સંભાળી હતી જ્યારે વનડે સિરીઝમાં શિખર ધવન કેપ્ટનશિપ કરી રહ્યો હતો. ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને આ બંને ખેલાડીઓની કપ્તાનીમાં રમવાની તક મળી નથી. કુલદીપ યાદવ આખી T20 સિરીઝમાં બેન્ચ પર બેઠો જોવા મળ્યો હતો અને હવે તે ODIમાં પણ પોતાની જગ્યા બનાવી શક્યો નથી.
ચહલની જગ્યાએ રમવાના ઉમેદવારો હતા
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં યુઝવેન્દ્ર ચહલ લયમાં જોવા મળ્યો ન હતો. ચહલ આ મેચમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો અને તેણે ઘણા રન પણ ખર્ચ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે તેની 10 ઓવરમાં 6.8ની ઈકોનોમી સાથે રન ખર્ચ્યા હતા અને એક પણ વિકેટ લીધી ન હતી. ચહલના આ પ્રદર્શન બાદ એવી આશા રાખવામાં આવી રહી હતી કે કુલદીપ યાદવ બીજી વનડેમાં રમતા જોવા મળી શકે છે.
તેની છેલ્લી વનડેમાં ધમાલ મચાવી હતી
કુલદીપ યાદવે તેની છેલ્લી વનડે ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તે ODIમાં કુલદીપ યાદવે 4.1 ઓવરમાં 18 રન આપીને 4 વિકેટ લીધી હતી. ત્યારે કુલદીપ યાદવને પણ ‘મેન ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ શાનદાર પ્રદર્શન બાદ પણ કુલદીપ યાદવ પ્લેઈંગ 11માં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.