‘આ માત્ર ટ્રેલર છે, હજુ તો….’ ઇઝરાઇલ દૂતાવાસ વિસ્ફોટમાં મળેલા પત્રથી દુનિયામાં હાહાકાર

‘આ માત્ર ટ્રેલર છે, હજુ તો….’ ઇઝરાઇલ દૂતાવાસ વિસ્ફોટમાં મળેલા પત્રથી દુનિયામાં હાહાકાર

શુક્રવારે પાટનગર દિલ્હીમાં ઇઝરાઇલ દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટમાં એક પત્ર મળી આવતાં આ ઘટના સાથે ઈરાન કનેક્શન સામે આવ્યું છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્ફોટ તો માત્ર ટ્રેલર છે અને સાથે જ બદલો લેવાનું કહેવામાં આવી રહ્યું છે. 2020માં માર્યા ગયેલા કાસીમ સુલેમાની અને ઈરાનના વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક મોહસીન ફખરીઝાદેહનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

પત્ર મળ્યા પછી આ ઘટના પાછળ ઇરાન કનેક્શન હોવાની સંભાવના બતાવવામાં આવી રહી છે. આ અગાઉ 2012માં પણ ઇઝરાઇલની એક કારમાં વિસ્ફોટ થયો હતો. આ ધમાકામાં 2 ઈરાની સંડોવાયેલા હતા. આ લોકો દિલ્હીની પહાડગંજ હોટલમાં રોકાયા હતા. કારના વિસ્ફોટ બાદ આ લોકો ઈરાન ભાગી ગયા હતા. તપાસ એજન્સીઓ હજુ પણ આ લોકોની શોધમાં છે.

તો વળી બીજી તરફ ઇઝરાઇલના વિદેશ મંત્રાલયે આ ઘટનાને આતંકવાદી ઘટના ગણાવી છે. ઇઝરાઇલના વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે વિદેશ પ્રધાન ગબી અશ્કેનજીને નિયમિતપણે આ ઘટના અંગે અપડેટ કરવામાં આવી રહ્યા છે. તેમણે તમામ જરૂરી સુરક્ષા પગલાંનો આદેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સી આ પત્રનું ટચ ડીએનએ કરશે. મોસાદ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એજન્સી તેના સ્તરે કામ કરે છે. જો કે, હજી સુધી મોસાદ ઘટના સ્થળે આવશે કે કેમ એના વિશે કોઈ માહિતી સામે નથી આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *