દિવાળી (Diwali)બાદ ધડાધડ કોરોનાના કેસમાં વધારો થયો છે. જે બાદ આજથી રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સરકાર દ્વારા કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. કરફ્યૂની (Curfew)જાહેરાત કરાયા બાદ લોકોમાં હવે લોકડાઉન (Lockdown)આવશે એવી ચર્ચાઓ થઇ રહી છે. જ્યારે આ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani)મોટું નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં લોકડાઉન લગાવવાનું કોઇ પ્લાનિંગ નથી. જે એક માત્ર અફવા છે.
વધુમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં લગાવવામાં આવેલા કરફ્યૂ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાતે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યારપછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ કરફ્યૂ ચાલુ રહેશે.
તે સિવાય માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે બાકી તમામ બંધ રહેશે. અગાઉ અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તાએ સાંજે 5:30 વાગ્યે રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી અને રાત્રે 10 વાગ્યે 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરી હતી. આ ઉપરાંત શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે.